રાજકોટ શહેરમાં કોરોના વાયરસના કારણે વધુ એક દર્દીનો ભોગ, છેલ્લા ૨૪ કલાકમાં ૩ ના મોત થતા છે

રાજકોટ,

રાજકોટ શહેરમાં કોરોનાના કારણે ત્રીજા દર્દીએ જીવ ગુમાવ્યો છે. રાજકોટ શહેરના રૈયા ટેલીફોન એક્સચેન્જ વિસ્તારમાં આવેલ અનામિકા સોસાયટીમાં રહેતા રાજુભાઇ મેપાભાઇ સોલંકી ઉ.૬૩ નું આજે બપોરે મોત નિપજ્યુ છે. તેમને કોવિડ-૧૯ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. છેલ્લા ૨૪ કલાકમાં ૩ લોકોના કોરોનાથી મોત નીપજ્યા છે. સવારે એક મહિલા અને પુરુષનું કોરોનાથી મૃત્યુ થયું હતું. આ સાથે આજના દિવસમાં ૩ લોકોના મોત નિપજતા આરોગ્ય વિભાગ ચિંતામાં પડયું છે. જ્યારે અત્યાર સુધીમાં કોરોનાથી ૯ લોકો મોતને ભેટયા છે.

રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Related posts

Leave a Comment